Return to BahaiPrayers.net
Facebook
હે પરમેશ્વર, તારો જયજયકાર કરૂં ! તારા જ બનાવેલા કેટલાક જીવો તારા સત્યનો ઈન્કાર કરે છે. એમણે વરસાવેલી આકરી યાતનાઓ અને અવર્ણનીય દુઃખોનો ભોગ બનેલા તારા મહાનતમ નામના તને સોગંદ આપીને કહું છું કે તું મારા પર એવી કૃપા કર કે જેથી હું હમેશાં તારું સ્મરણ અને સ્તુતિગાન કરું. આજે જયારે બઘાં તારા સૌદર્યથી વિમુખ થયા છે અને તારા વિશે શંકાઓ દર્શાવે છે, તારા મહાન ઘર્મ સંસ્થાપક તરફ તિરસ્કારપુર્વક પીઠ કરી છે ત્યારે પણ હું તારા જ ગુણ ગાતો રહું. હે મારા નાથ, તને સહાય કરી શકે એવું તારા સિવાય બીજું કોઈ નથી; તારા સામર્થ્યની તુલનામાં આવે એવું તારા પોતાના સામર્થ્ય સિવાય બીજું કંઈ નથી.
હું તારા પ્રેમમાં મગ્ન રહું, તારૂં સ્મરણ દ્રઢ બનીને કરતો રહું તેટલું બળ મને આપ. ખરેખર, એ હું કરી શકું તેમ છું અને મારી અંદર જે કંઈ છે તે બઘુ જાણનારો તું જ છે. ખરેખર, તું બઘુ જાણે છે, બઘાથી વાફેક છે. હે પ્રભુ તારા મુખચંદ્રની આભાથી મને વંચિત ન કર. એના થકી જ સમગ્ર વિશ્વ પ્રકાશે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશ્રેષ્ઠ શકિતશાળી, સર્વદા કરૂણાવાન અને સર્વથા ક્ષમાવાન છે.
- Bahá'u'lláh