Return to BahaiPrayers.net
Facebook
અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, જેઓને ખોટા માર્ગે ચડાવી દેવાયા છે તેઓને ન્યાયી અને ઉચિત મનોદશા પ્રાપ્ત કરવામાં ઉદારભાવે સહાય કર. જેઓ બેદરકાર હોય તેમને સજા કર. હે માર નાથ! તારી કૃપાના બારણે આવવાની તારા સેવકોને મનાઈ ન કર. તારી ઉપસિ્થતિના દરબારમાંથી એમને કાઢી ન મૂક. વ્યર્થ તરંગોનું ઘુમ્મસ વિખેરવામાં, મિથ્યા કલ્પનાઓ તથા આશાઓના પરદા ચીરી નાખવામાં એમને મદદ કર. ખરેખર તું સર્વસંપન્ન, સર્વોચ્ચ છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સર્વશકિતમાન, મહાકરૂણાસિંઘુ છે.
- Bahá'u'lláh