Return to BahaiPrayers.net
Facebook
હે પરમેશ્વર, માર નાથ તારો જયઘોષ કરૂં છું! તારૂં નામ લેતાં તેં તારા માર્ગદર્શનના ઘ્વજ લહેરાવ્યા અને તારી પ્રેમભીની કરુણાનો પ્રકાશ પાથર્યો તથા તારા સ્વામીત્વનું સાર્વભૌમત્વ પ્રગટ કર્યું, એજ નામનો ઉચ્ચાર કરીને હું તને પ્રાર્થના કરૂં છું. તારા લક્ષણોના સંકુલમાં પણ એ નામનો જ દિપક પ્રકાશે છે. એ નામ થકી જે તારા એકત્વનો શીતળ મંડપ અને અનાકિતનું રૂપ છે તે પ્રકાશ પામે છે; એ નામ લેતાં તારા માગદર્શનના રસ્તા જાણી શકાયા છે, પરમાનંદના માર્ગ અંકિત થયા છે. એ નામ લેતા ભૂલોના પાયા હચમચી ઊઠયા છે. તથા દુષ્ટાના સંકેતો ભુંસાઈ ગયા છે; તારા એ નામમાંથી જ્ઞાનનાં ઝરણાં વહી નીકળ્યા છે અને સ્વર્ગીય વૃષ્ટિ થવા માંડી છે. એ નામ દ્વારા તેં ચાકારોને આરોગ્ય બક્ષ્યું છે અને તારી જીવનદાયી શકિતમાં એમને ભરોસો બંઘાવ્યો છે, એમના ઉપર કોમળ અનુગ્રહો વરસાવ્યા છે અને તારી પ્રાણીસૃષ્ટિને આશીર્વાદરૂપે ક્ષમાનું દાન કર્યું છે; એ જ નામ મુખેથી ઉચ્ચારીને તને અરજ કરૂં છું કે જે દૃઢ રહ્યા છે અને તારી પાસે પાછા ફર્યા છે જે તારી દયાને આસરે છે અને તારી કૃપાના પાલવને પકડી રહ્યા છે એમના ઉપર તું સંજીવનીની વૃષ્ટિ કર અને તને સ્વીકાર્ય બને એવી એકાગ્રતા એમનામાં ભરી દે તથા તારી પ્રગાઢ શાંતિના અમીવર્ષણથી એમને નવડાવી દે.
ખરેખર તું રોગનિવારક, રક્ષક, સહાયક, સર્વશકિતમાન સર્વસામથ્યવાન, ભવ્યોદાત્ત અને સર્વાન્તયામી છે.
- Bahá'u'lláh