Return to BahaiPrayers.net
Facebook
હે પ્રભુ, હે દીનદયાળ! તારા માયાળુ ઉપચારના ક્ષીરસાગરને નામે તારા કૃપાસૂર્યને નામે, સેવકોને નિયમનમાં રાખતા તારા નામે, તારી ઉદાત્ત વાણીના સર્વસ્પર્શી સામથ્ર્યને નામે, તારી પવિત્રતમ લેખનીને નામે, સ્વર્ગ અને પૃથ્વીના જીવ–અજીવ પદાર્થોના સર્જનથી પહેલાં પણ જે અસ્તિત્વમાં હતી તે દયાને નામે હું યાચના કરું છું, હે દીનાનાથ, તારી ઉદારતાના જળથી મને બઘી જ યાતનાઓ અને અંઘાઘૂઘીમાંથી મુકિત પ્રદાન કર, મારી બઘી જ દુર્બળતાઓ અને નિર્બળતાઓનો નાશ કર.
હે મારા સ્વામી, તું જુએ છે કે જે બારણે તું દાન આપે છે ત્યાં તારો ચાહક ઊભો છે એ તારી ઉદારતાનો પાલવ પકડીને તને પામવાની આશા સેવે છે. તારી દયાના સાગરમાંથી, પ્રેમ કરૂણાના સૂર્ય પાસેથી એ જે માગે છે તે એને તું કૃપા કરીને આપ.
તું જે ઘારે તે કરી શકે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન, અત્યંત ઉદાર છે.
- Bahá'u'lláh