Return to BahaiPrayers.net
Facebook
હે ભગવાન,મારા આત્માને નવસ્ફૂર્તિ અને હષર્લ્લાસથી ભરી દે. મારા અંતઃકરણને શુદ્ધ કરી દે. મારા મનને આલોકિત કરી દે. હું મારા સઘળાં કાર્યો તારા જ કરકમળોમાં સુપ્રત કરુ છું તું મારો પથદર્શક છે, મારો આશ્રય છે. હવેથી હું દુઃખી અને ઉદાસ નહિ રહું, હું સુખી અને આનંદિત રહીશ. હે પ્રભુ! હું હવે થી ચિંતામગ્ન નહિં રહું, કષ્ટોથી મુજાઈ નહિ જાઉં, હું જીવનની અપિ્રય વાતો પર મારું મન લગાવીશ નહિ . હે પરમાત્માં! તું મારા પોતાના કરતાં પણ વઘારે મારો મિત્ર છે. હે નાથ, હું મારી જાત તને સમર્પણ કરું છું.
- `Abdu'l-Bahá