Return to BahaiPrayers.net
Facebook
હે પ્રભુ! મારા પરમેશ્વર! તારા આસ્થાવાન સેવકોને અહંભાવ અને આવેગના દૂષણોથી બચાચી લે.બઘા પ્રકારના વેરઝેર, ઘૃણા, અદેખાઈ સામે તારા માયાળુ પ્રેમની જાગરૂક દૃષ્ટિથી એમનું જતન કર. તારા ઘર્મના અજેય ગઢમાં એમને આશરો આપ અને સંશયની બરછીઓથી સહીસલામત રાખીને એમને તારા ભવ્ય સંકેતોના અભિવ્યકત રૂપ સમાન બનાવી દે. તારા દૈવી એકત્વના ઉદયાચલમાંથી પ્રગટતાં દિવ્ય રશિ્મઓથી એમનાં મુખોને કાંતિમાન બનાવ. તારા પવિત્ર રાજયમાંથી પ્રગટતાં કાવ્યોથી એમનાં હૃદયોમાં હર્ષનો સંચાર કર. તારા ભવ્ય પ્રદેશમાંથી આવતાં સર્વજિત સામથ્ર્યથી એમને પુષ્ટ બનાવ. તું પરમ ઉદાર, રક્ષક, સર્વશકિતમાન, કરૂણાસાગર છે!
- `Abdu'l-Bahá