Return to BahaiPrayers.net
Facebook
(ઉપવાસ વર્ષમાં એક વાર ઉપવાસનું વ્રત રાખવામાં આવે છે. એ બહાઈ વર્ષના ‘અલ્લા’ ઉદારતા´ના મહિનામાં, એટલે કે બીજી માર્ચથી વીસમી માર્ચ સુઘી છે. આ દિવસોમાં સુર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ખાદ્ય કે પેય પદાર્થ મ લેવા. એ પ્રાર્થના અને આઘ્યાત્મિક નવસ્ફૂતિનો સમય છે. પંદર વર્ષથી નાની ઉંમરના બાળકો, મુસફરો, માંદા, અશકત તેમ જ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને ઉપવાસ રાખવાની ફરજ નથી.)
તારી સ્તુતિ હો, હે મારા સ્વામી, મારા ઈશ્વર! તારા ઘર્મપ્રગટિકરણના નામ પર કે જેથી અંઘકાર પ્રકાશમાં બદલાઈ ગયો છે, જેથી પ્રાગટય શીલમંદિરનું નિર્માણ થયું છે, લિખીત પવિત્ર પત્રી પ્રગટ થઈ છે અને સુવિસ્તૃત નામાવલિનું અનાવરણ થયું છે. તે નામથી હું તારી યાચના કરું છું કે, મારા ઉપર તેમજ મારા સાથીઓ ઉપર તારી એ દયાવૃષિ્ટ કર, જેથી અમે તારી પારગામી ભવ્યતાના મહિમામય સ્વર્ગમાં આરોહણ કરી શકીએ તથા એવી શંકાઓના કલંકથી મુક્ત રાખ જેના કારણે સંશયાત્માઓ તારા એકત્વનાં મંડપની છાયામાં પ્રવેશી શકયા નથી.
હે દીનાનાથ, હું એ છું કે જેણે સદાય તારી પ્રેમકરુણાનો તંતુ, તારી કૃપા અને અનુગ્રહનો પાલવ પકડી રાખ્યો છે. મને તથા મારા આપ્તજનોને ઈહલોક તથા પરલોકમાં જે વરણીનો કળશ જેના ઉપર ઢોળાયો હોય તેવા લોકો માટે તેં નકકી કરેલી ગુપ્ત ભેટસોગાદો મારા આપ્તજનોને પણ પ્રદાન કર.
હે મારા સ્વામી, તે તારા સેવકોને આ દિવસોમાં ઉપવાસ રાખવાનો આદેશ આપ્યો છે. ભાગ્યશાળી છે એ જે કેવળ તારા માટે અને તારા સિવાય સકળ પદાથર્ોના રાગથી મુકત થઈને, સંપૂર્ણરીતે અનાસક્ત થઈને ઉપવાસ રાખે છે. તારી આજ્ઞાઓનું પાલન કરવામાં અને તારા આદેશો અનુસાર ચાલવામાં મને અને એ લોકોને, હે મારા સ્વામી સહાય કર. નિસંદેહ તું ઘારે તે કરવા સમર્થ છે.
તારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. તું સર્વજ્ઞ, પૂર્ણપ્રજ્ઞ છે. સર્વ લોકના સ્વામી પ્રભુનો જય હો!
- Bahá'u'lláh